ઘરેલુ જગડા એ હવે દરેક ઘર ની કહાની છે. પરંતુ ક્યારેક નાની વાત નું મોટું સ્વરૂપ આવી જતું હોઈ છે, તો ક્યારેક સ્વભાવ નડે અને ક્યારેક બીજા લોકો ની દખલગીરી નડે. સ્ત્રીઓ ઘણી વાર આવી જ નાની વાત ને લીધે કે કોઈ ખાસ કારણ વગર પોતાના પતિ નું ઘર, એટલે કે પોતાનું સાસરું છોડી ને પિયર ચાલી જતી રહે છે.
શું તમારી પત્ની પોતાના પિયર જતી રહી છે અને પાછી આવવાની ના પડે છે? તો જાણો કે આપણો કાયદો શું કહે છે.
“હિન્દૂ મેરેજ એક્ટ” – દરેક હિન્દૂ ને લગ્ન કર્યા બાદ આ કાયદો લાગુ પડે છે. આ કાયદા પ્રમાણે તમે લગ્ન કર્યા પછી તમારો હક છે કે તમારી પત્ની / તમારા પતિ, તમારી સાથે રહે. જો તમારી પત્ની તમારું ઘર, એટલે કે તેનું સાસરું છોડી ને પોતાના પિયર જતી રહી હોઈ અને પછી આવવાની ના પાડતી હોઈ તો તમે “હિન્દૂ મેરેજ એક્ટ” કાયદા ના હેઠળ કોર્ટ માં અરજી કરી શકો છો. કોર્ટ બંને પક્ષ ની વાત સંભાળશે અને જો તમારી પત્ની નું ઘર છોડી ને જવા પાછળ નું કારણ બરાબર નહિ હોય તો કોર્ટ તેને પોતાના ઘરે પાછા જવાનું કહેશે. કોર્ટ તેમને ફરજીયાત સાસરે જવાની ફરજ ના પડી શકે, પરંતુ તે નક્કી કરી શકે કે તેમના તમારું ઘર છોડી ને જવા પાછળ નું કારણ વ્યાજબી છે કે નહિ અને તે મુજબ સલાહ આપી શકે.